કોરોનાની ત્રીજી લહેરને લઈને આવ્યા રાહતના સમાચાર, જાણો

કોરોનાની ત્રીજી લહેરને લઈને આવ્યા રાહતના સમાચાર, જાણો

કોરોના વાયરસની ત્રીજી લહેર સતત નબળી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજારથી ઓછા એટલે કે કુલ 67,597 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા હવે વધીને 4 કરોડ, 23 લાખ, 39 હજાર, 611 થઈ ગઈ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 1188 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 4 હજાર 62 લોકોના મોત થયા છે. આજના આંકડાઓમાં કેટલાક બેકલોગના આંકડા પણ ઉમેરવામાં આવ્યા છે.